જરા વિચારો!
મારા એક એક મિત્રએ મને Whatsapp પર એક મેસેજ બતાવ્યો અને કહ્યું, "જો મેસેજમાં શું લખ્યું છે?" મેં મેસેજ વાંચ્યો અને તેમાં લખ્યું હતું, "ઈંડા અને મરઘી ખાવાથી કેન્સર થાય છે." મારા મિત્રએ મને કહ્યું કે, "જો!! Whatsappના મેસેજમાં પણ લખેલું આવે છે કે જોનવેજ ખાવું જોઈએ નહિ." મેં પૂછ્યું, "આ મેસેજની પ્રમાણભૂતતા શું છે? આ મેસેજ મોકલનાર વ્યક્તિએ શું રિસર્ચ કર્યું છે? શું આ વ્યક્તિ એક પ્રમાણભૂત રિસર્ચર છે? કે પછી કોઈ રૂઢિવાદી વ્યક્તિએ આ મેસેજ બનાવીને મોકલ્યો છે?" મારા મિત્રએ જવાબ આપ્યો, "તુ અમારી વાત માનશે નહિ. તને ગમે એટલુ શોધીને બતાવીએ તો પણ તું નોનવેજ છોડવાનો નથી." મેં કહ્યું, "મને કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ આપો તો હું નોનવેજ છોડવા તૈયાર છું." પછી મેં ઈન્ટરનેટ ઉપર વેજિટેબલ ઉપર શોધ્યું અને વેજિટેબલ ખાવાથી થતા કેન્સરની વિગતો આપી. અને તે પણ પ્રમાણ વગરની જ આપી. ત્યારે તેમને વેજિટેબલથી થતા કેન્સરની વાત માણવાની ના પાડી. એમણે કહ્યું, "આ બધું ખોટું છે." મેં કહ્યું, "જો આ બધુ પ્રમાણ વગરનું ખોટું હોય, તો તમારો પ્રમાણ વગરનો મેસેજ સ